હિન્દુશાસ્ત્રોમાં વર્ણવેલ સાત ઋષિઓનું શ્રીરામકૃષ્ણદેવને એકવાર દિવ્યદર્શન થયું હતું.
તેઓ બધા એક ગહન આધ્યાત્મિક વાતાવરણમાં ઊંડા ધ્યાનમાં ડૂબેલા હતા. એ જ વખતે તે ઘનીભૂત વાતાવરણમાંથી જન્મેલ એક દિવ્ય બાળક ધીરે ધીરે તેઓ તરફ ગયું.
તેમાંના એક ઋષિના ગળે હાથ વળગાડી, બાળકે મધુર સ્વરે તેમના કાનોમાં ઉચ્ચારણ કર્યું, ‘હું જાઉં છું, તમારે પણ મારી સાથે આવવું પડશે.’ ઋષિ મૌન રહ્યા પણ તેના તરફ જોઈને પોતાની સંમતિ વ્યક્ત કરી.
શ્રીરામકૃષ્ણદેવે પછીથી કહ્યું હતું કે એ જ ઋષિ નરેન્દ્ર તરીકે જન્મ્યા હતા, જે ભવિષ્યમાં સ્વામી વિવેકાનંદ બન્યા.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો