શ્રદ્ધા
મનુષ્ય ઈશ્વર ચરણે પૂરી શરણાગતિ સ્વીકારે તો ઈશ્વર એનું બધું જ કાર્ય કરશે.
શ્રદ્ધા શું સાવ સસ્તી છે બેટા! શ્રદ્ધા તો અંતિમ વાત છે. વ્યક્તિમાં શ્રદ્ધા હોય તો, તેને ધ્યેયપ્રાપ્તિ થઈ ચૂકી સમજી લો.
શ્રદ્ધા અને દૃઢતા પાયાની બાબતો છેઃ એ બે હોય તો બધું જ છે.
મનુષ્યે પ્રભુમાં શ્રદ્ધા રાખવી જોઈએ. તે ભલે આપણને તારે કે ડુબાડે! પરંતુ મનુષ્યે તો માત્ર સારું કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ અને તે પણ ઈશ્વર શક્તિ આપે તે મુજબ.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો