એક વખત શ્રીમાના ગામ જયરામવાટી અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ ન પડવાથી દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હતી.
લોકોનાં ભારે નિરાશા-દુઃખ જોઈને શ્રીમાને ઘણું દુઃખ થયું. તેઓ સૂકાં પડેલાં ખેતર તરફ ગયાં. તેમણે આંખમાં આંસુ સાથે ભગવાનને આ ભયાનક પરિસ્થિતિમાંથી લોકોને બચાવી લેવા પ્રાર્થના કરી.
કેવું અદ્ભુત! જરા સંભાળો! તે રાતે આપોઆપ જ વરસાદ સર્વત્ર તૂટી પડ્યો.
પળભરમાં આખું ચિત્ર બદલાઈ ગયું. શ્રીમા શારદાદેવીની પ્રાર્થનાથી અનરાધાર વરસાદ પડતાં દુષ્કાળની વિષમ સ્થિતિમાંથી લોકો ઊગરી ગયા.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો