શ્રીમા એક આદર્શ ગૃહિણી હતાં. તેઓ કુટુંબની બધી જ જવાબદારીઓ નિભાવતાં રહીને પણ આધ્યાત્મિક જીવન વિતાવતાં હતાં.
સગાં-સંબંધીઓની સંભાળ લેવી, સંન્યાસીઓને અને શિષ્યોને આધ્યાત્મિક માર્ગદર્શન આપવું તેમજ આધ્યાત્મિક ઉન્નતિ માટે મંત્રદીક્ષા આપવી આ બધાનો તેમના જીવનમાં સમાવેશ થતો હતો.
આમ છતાં પણ એમને કોઈ આસક્તિ ન હતી. એમને કોઈ દુન્યવી આશા-અપેક્ષાઓ પણ ન હતી.
સાચે જ, જેવી રીતે તેમનું જીવન ગૃહસ્થ ભક્તો માટે પ્રેરણારૂપ હતું, તેવી જ રીતે અનાસક્તિ અને પવિત્રતાની બાબતમાં સંન્યાસી શિષ્યો માટે પણ પ્રેરણારૂપ હતું.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો