શ્રીમા સ્ત્રીઓના ઉત્કર્ષ માટે ઘણો રસ ધરાવતાં હતાં. તેઓ કહેતાં કે જો કન્યાઓ સારું પોષણયુક્ત ભોજન લે, હસ્તકલા વગેરે શીખે તો તેઓ સમાજનું અતિ ઉપયોગી અંગ બની શકે.
તેઓ વધુમાં કહેતાં કે જેઓ શિક્ષણ મેળવે છે માત્ર તેને જ લાભ થતો નથી, તેમના દ્વારા બીજાઓને પણ લાભ થાય છે.
કોલકાતા ખાતે જ્યારે ભગિની નિવેદિતાએ કન્યાશાળા શરૂ કરી ત્યારે શ્રીમા તેના ઉદ્ઘાટન માટે આવ્યાં અને ભગિની નિવેદિતાને સ્ત્રી ઉત્કર્ષના વિચારો બદલ પ્રશંસા કરીને આશીર્વાદ આપ્યા.
શ્રીમાના પ્રોત્સાહને જ રામકૃષ્ણ સંઘની ભવિષ્યની શૈક્ષણિક સંસ્થાઓ માટેનું બીજ રોપ્યું.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો