બિહારમાં આવેલા બોધગયાની તીર્થયાત્રા દરમિયાન, એક સુવિધાસભર બૌદ્ધ મઠ શ્રીમાની નજરમાં આવ્યો.
આ જોઈને શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યોને પણ આવી જ સુવિધા મળી રહે તેવી શ્રીમાને ઉત્કંઠા જાગી.
તેમણે શ્રીરામકૃષ્ણદેવની છબી સમક્ષ આંસુ સાર્યાં અને પોતાની આ હૃદયસ્પર્શી ભાવનાને પરિપૂર્ણ કરવા પ્રાર્થના કરી.
તેમની આ તીવ્ર પ્રાર્થનાઓનો પ્રત્યુત્તર મળ્યો અને એ રીતે સમગ્ર વિશ્વમાં તેનાં શાખા-કેન્દ્રો સાથે રામકૃષ્ણ સંઘ અસ્તિત્વમાં આવ્યો.
શ્રીમાને ‘સંઘજનની’ – ‘રામકૃષ્ણ સંઘનાં મા’ કહેવામાં આવે છે તેનું ખરું કારણ તો આ જ છે.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો