અમેરિકાના શિકાગો નગર ખાતે ઈ.સ. ૧૮૯૩માં યોજાનાર વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા જતા પહેલાં સ્વામી વિવેકાનંદે શ્રીમાના આશીર્વાદ માગ્યા. આશીર્વાદ આપતાં માએ કહ્યું, ‘આગળ વધો, શ્રીઠાકુર તમારી સાથે છે.’

ઘણા જ આત્મસંતોષ સાથે, સ્વામીજી અમેરિકા ગયા અને વેદાંત તેમજ ભારતીય સંસ્કૃતિના સંદેશનો પશ્ચિમના દેશોમાં પ્રસાર-પ્રચાર કરવામાં તેમણે ભવ્ય સફળતા મેળવી.

ભારત પાછા ફર્યા પછી, પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવના સંદેશનો ફેલાવો કરવા અને અનેક રીતે લોકોની સેવા કરવા માટે તેમણે શ્રીરામકૃષ્ણ ભાવધારાનો પ્રારંભ કર્યાે. તેઓ હંમેશાં માનતા કે આ બધું શ્રીમાના આશીર્વાદ દ્વારા જ શક્ય બન્યું છે.

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories