સરસ્વતી સ્તોત્ર
श्वेतपद्मासना देवी श्वेतपुष्पोपशोभिता ।
श्वेताम्बरधरा नित्या श्वेतगन्धानुलेपना ॥१॥
श्वेताक्षसूत्रहस्ता च श्वेतचन्दनचर्चिता ।
श्वेतवीणाधरा शुभ्रा श्वेतलङ्कारभूषिता ॥२॥
वन्दिता सिद्धगन्धर्वैरर्चिता सुरदानवैः ।
पूजिता मुनिभिः सर्वैऋषिभि स्तूयते सदा ॥३॥
स्तोत्रेणानेन तां देवीं जगद्धात्रीं सरस्वतीम् ।
ये स्मरन्ति त्रिसन्ध्यायां सर्वां विद्या लभन्ते ते ॥४॥
શ્વેત કમળના આસન પર બિરાજેલાં, શ્વેત પુષ્પોથી સુશોભિત, શ્વેત વસ્ત્રો ધારણ કરનારાં, નિત્યસ્વરૂપિણી, સુગંધી શ્વેત લેપ કરનારાં, શ્વેત પારાઓની માળા હાથમાં ધારણ કરનારાં, શ્વેત ચંદનનો લેપ કરનારાં, શ્વેત વીણાને ધારણ કરતાં, ગૌરવર્ણ, શ્વેત અલંકારોથી વિભૂષિત સિદ્ધો અને ગંધર્વો દ્વારા નમસ્કાર કરાયેલાં, દેવો અને દાનવો અને સર્વે મુનિઓ દ્વારા પૂજિત એવાં તે દેવીનું ઋષિઓ હંમેશાં સ્તવન કરે છે. આ સ્તોત્ર વડે તે જગદ્ધાત્રી દેવી સરસ્વતીનું જેઓ ત્રણેય સંધ્યાકાળે સ્મરણ કરે છે, તેઓ બધી વિદ્યાને પ્રાપ્ત કરે છે.
(પદ્મપુરાણ)
Your Content Goes Here