તે દિવસે ગંગાજીને કિનારે માની જેમ પ્રતીક્ષા કરતા બેઠા હતા

શ્રીરામકૃષ્ણ પરમહંસદેવ એના તોફાની તરણ વિવેકાનંદની ખોજમાં…

વેદનાનાં ભૂરાં ફૂલો વચ્ચે એમની આર્ષદૃષ્ટિ શોધતી હતી

આનંદનાં શ્વેત-કેસરી પારિજાતનાં પુષ્પોને ભારતવર્ષના અજ્ઞાન અને અંધકારના આકાશમાં

જે પેટાવી શકે સહસ્ત્ર સૂર્યોને બુઝાઈ ગયેલી દીપદાનીમાં..

આજે શતાબ્દી પછી દેશ એ જ અંધકારમાં અટવાય છે

તે રુગ્ણાલયમાં એક દરદીની જેમ ફરી સૂતો છે મારો દેશ

એનાં સંતાનો સ્મગ્લિંગ, કેબ્રો ને ઈઝી મનીના ચક્કરમાં સબડે છે

આજે શતાબ્દી પછી એક માતા તરીકે હું ફરી તમને પ્રાર્થના કરવા આવી છું, ઠાકુરદા!

કે ફરી ગંગાજીને કિનારેથી શોધી આપો એક નવા વિવેકાનંદને

જે ફરી લખી શકે ‘રાજયોગ’ મા ભારતીની હસ્તરેખામાં…!

પ્રા. જ્યોત્સના ય. ત્રિવેદી

Total Views: 299

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.