घ्रात्वा सकृत्तव पदांबुज – दिव्यगन्धं नारायण प्रभृतयो बुधसार्वभौमाः ।
सद्यस्समुज्झित- गृहादिसमस्त बन्धाः प्रव्रज्य घोरतपसे विपिनं प्रजग्मुः ॥२२॥
સૂંઘી પદામ્બુજ સુગંધ જ એકવાર, નારાયણાદિ સુજનો બહુ બુદ્ધિશાળી;
છોડી તુરંત ઘરબાર તણા જ બંધો, ચાલ્યા ગયા વનમાહીં કરવા તપસ્યા.
हे रामकृष्ण तव सांप्रतिकावतारे पूर्वातिशायि महिमान – मवेक्ष्य शिष्याः ।
आश्चर्यहर्षजव-घर्षितधी- विलासा अत्रैव शीघ्रमभवन् सुतरां प्रलीनाः ॥२३॥
હે રામકૃષ્ણ તવ આ અવતાર માંહીં, ભાળી અપૂર્વ મહિમા સહુ શિષ્યવૃન્દ;
આશ્ચર્યથી ચકિત થૈ તમે પાસે આવી, ને થાય સૌ તમ મહીં જ વિલીન આંહીં.
भूमिं कुलीनविबुधा न पदा स्पृशेयुः पूर्वे मनुष्यपद – मित्यवमान-बुद्धया ।
अद्यत्वचिन्त्य-महिमार्णव- रामकृष्ण स्याक्रीडरंगमिति भक्तिमनीषया च ॥२४॥
પૂર્વે ન ભૂમિપર દેવ ડગો ભરંતા, ‘આ મર્ત્યલોક અતિ તુચ્છ’ કરી વિચાર;
આજે ય એ ન ડગ દે પણ ભક્તિભાવે, હે શ્રીરામકૃષ્ણ મહિમા નિધિ ભૂમિ માની.
‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃત’માંથી (૨૨-૨૩-૨૪)
Your Content Goes Here