બાલિકા શારદાનાં માબાપ કંઈ શ્રીમંત ન હતાં. પણ હતાં સુખી અને સંતોષી. શારદા સ્વભાવે ગંભીર અને કામઢી છોકરી હતી. તે માતાને રસોઈમાં મદદ કરતી. નાનાં ભાઈબહેનોને સાચવતી. ક્યારેક તો નાનાં ભાઈબહેનોને લઈને આમોદર નદીએ સ્નાન કરવા પણ જતી.
એકવાર ગામમાં તીડ આવ્યાં. તીડ ડાંગરનાં ખેતરો સફાચટ કરી ગયાં. દુ :ખના આ દિવસોમાં શારદા ખેતરોમાં ફરતી, બચેલી ડાંગર ભેગી કરતી. આ કામ કરતાં તેને જરાય થાક લાગતો ન હતો. ખેડૂતો ખેતરમાં કામ કરતા હોય ત્યારે શારદા બધાને નાસ્તામાં મમરા વગેરે આપતી.
શારદા સતત કામ કર્યા કરતી. ગરીબો પ્રત્યે તેનું હૃદય સહાનુભૂતિથી ઊભરાતું. ગરીબોને મદદ કરવા એ સદાય તત્પર રહેતી.
Your Content Goes Here