तान् वरिष्ठः प्राण उवाच । मा मोहमापद्यथाऽमेवैतत् पञ्चधाऽऽत्मानं
प्रविभज्यैतद्बाणमवष्टभ्य विधारयामीति तेऽश्रद्दधाना बभूवुः।।3।।
મુખ્ય પ્રાણે તે જ્ઞાનેન્દ્રિયોને કહ્યું : ‘આવી બડાઈ હાંકશો નહિ, હું મારી જાતને પાંચ
જુદી જુદી શક્તિઓમાં વહેંચી નાખું છું અને શરીરને હલનચલન કરાવવા માટે
તેનો ઉપયોગ કરું છું, એની (શરીરની) જાળવણી માટે હું જ જવાબદાર છું.’
પણ જ્ઞાનેન્દ્રિયોએ ગમે તેમ પણ એમાં વિશ્વાસ ન રાખ્યો.
एषोऽग्निस्तपत्येष सूर्य एष पर्जन्यो मघवानेष वायुः।
एष पृथिवी रयिर्देवः सदसच्चामृतं च यत् ।।5।।
આ પ્રાણ અગ્નિ છે અને અગ્નિરૂપે એ આપણને ગરમી આપે છે. આ પ્રાણ સૂર્ય છે, મેઘ પણ છે, ઇન્દ્ર, વાયુ, પૃથ્વી અને ચંદ્ર છે; તે બધાને પ્રકાશિત કરે છે. ટૂંકમાં એ સ્થૂળ (કાર્યરૂપ) પણ છે અને સૂક્ષ્મ (કારણરૂપ) પણ છે. એ શાશ્વત છે, આ બધું પ્રાણ જ છે.
(પ્રશ્ન ઉપનિષદ : ૨.૩,૫)
Your Content Goes Here