રામકૃષ્ણ મઠ, બેલુર, રામકૃષ્ણ મઠ-મિશન, વડોદરા,અમદાવાદ દ્વારા બનાસકાંઠા પૂરરાહત સેવાકાર્ય
૨૮/૦૭ થી ૦૬/૦૮ સુધીમાં ધાનેરા, થરાદ, થરા, વાવ અને રાધનપુરનાં ૪૫ ગામડાંમાં થયેલ વિતરણ

ચીજવસ્તુ બેલુર મઠ વડોદરા મિશન
ચોખા ૧૦૧૫૦ કિલો ૧૮૦૯ કિલો
મગદાળ ૩૦૪૫ કિલો ૧૧૨.૫ કિલો
તુવેરદાળ ૩૯૬ કિલો
મીઠંુ ૧૦૧૫ કિલો
તેલ ૧૦૧૫ કિલો ૨૮૩.૫ કિલો
ખાંડ ૧૦૧૫ કિલો
ચા ૧૦૧.૫ કિલો
ઘઉંનો લોટ ૧૦૧૫૦ કિલો ૧૪૧૭.૫ કિલો
બાજરીનો લોટ ૧૪૧૭.૫ કિલો
જુવારનો લોટ ૨૮૩.૫ કિલો
મરચું પાઉડર ૨૦૩ કિલો
હળદર પાઉડર ૧૦૧.૫ કિલો

 

ચીજવસ્તુ બેલુર મઠ વડોદરા મિશન
ધાણાજીરૂ ૧૦૧.૫ કિલો
ચણા ૨૦૩૦ કિલો
દૂધનો પાઉડર ૨૦૭.૫ કિલો
મીણબત્તી ૧૨૧૮૦ નંગ
બાકસ બોક્સ ૧૦૧૫ નંગ
મીક્સ ફરસાણ ૫૦૭.૫ કિલો
નમકીન ૯૦૦ કિલો
પારલે બિસ્કીટ ૩૦૪૫ નંગ ૫૬૭ નંગ
તાલપત્રી ૧૦૧૫ નંગ
થાળીવાટકા ૫૬૭ નંગ
સ્ટીલના ગ્લાસ ૫૫૯ નંગ
ગરમ મસાલા ૪૫

 

બીલખાના પવિત્ર આનંદ આશ્રમમાં યોજાયેલ સાધના શિબિર

            ૨ અને ૩ સપ્ટેમ્બરના રોજ બીલખાના મહાન ચિંતક નથુરામ શર્માના આનંદ આશ્રમમાં બે દિવસની સાધના શિબિરનું આયોજન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયું હતું. રામકૃષ્ણ મઠના વરિષ્ઠ સંન્યાસી સ્વામી આદિભવાનંદ; પોરબંદર મિશનના સચિવ સ્વામી આત્મદિપાનંદ, રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામી પ્રભુસેવાનંદ, સ્વામી ઇષ્ટમયાનંદ, સ્વામી દયાર્ણવાનંદ, શંકરેશાનંદ; વડોદરા મિશનના સ્વામી મંત્રેશાનંદ, યોગસિદ્ધાનંદ; આ ઉપરાંત ઉજ્જૈનથી આવેલા અતિથિ સંન્યાસી સ્વામી આદિત્યાનંદની નિશ્રામાં ગુજરાતભરના ૨૦૦ જેટલા ભક્તોએ આ શિબિરમાં ભાગ લીધો હતો. આ શિબિરમાં જપ, ધ્યાન, ભજન, સદ્ગ્રંથવાચન, વૈદિક મંત્રોચ્ચાર, મંગળા આરતી, સંધ્યા આરતી, રામનામ સંકીર્તન, દક્ષિણામૂર્તિ સ્તોત્ર પઠન, શ્રીમાનામ સંકીર્તન તથા આસપાસનાં પાવનધામોનાં દર્શનનો લાભ બધા ભાવિકોએ લીધો હતો.

          ૨ સપ્ટેમ્બરે રાત્રે રામનાથ શિવમંદિરના પરિસરમાં ધૂણો જલાવીને શ્રીરામકૃષ્ણ અષ્ટોત્તર નામ સાથે ઘીની આહુતિ અપાઈ હતી. બે દિવસ સુધી બીલખામાં જાણે કે એક દિવ્યાનંદનું મંગળ અને પવિત્ર વાતાવરણ સર્જાયું હતું. આ પ્રસંગે રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓનાં પ્રેરક પ્રવચનો પણ યોજાયાં હતાં. આનંદ આશ્રમના સંવાહકોએ ભોજન-અલ્પાહાર અને ઉતારાની સુંદર વ્યવસ્થા કરી હતી. આનંદ આશ્રમથી વળતી યાત્રામાં ૩ સપ્ટે.ના રોજ કાગવડ પાસે આવેલ સુખ્યાત ખોડલધામ સંકુલની મુલાકાતને ભાવિકોએ માણી હતી. ચા-નાસ્તાની મજા માણીને સાધકોએ ગોંડલમાં ભુવનેશ્વરીપીઠની મુલાકાત વખતે ભુવનેશ્વરીમાતાનાં દર્શન કર્યાં અને ત્યાં રાત્રિભોજન લીધું હતું.

Total Views: 280

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.