अर्थस्य निश्चयो दृष्टो विचारेण हितोक्तितः।
न स्नानेन न दानेन प्राणायामशतेन वा।। 13 ।।
તીર્થાેમાં સ્નાન, દાન કે સેંકડો પ્રાણાયામ કરવાથી નહીં, પણ ગુરુની હિતકર ઉક્તિઓ પર ચિંતન-મનન કરવાથી જ બ્રહ્મતત્ત્વની અનુભૂતિ પ્રાપ્ત થાય છે.
अधिकारिणमाशास्ते फलसिद्धिविर्शेषतः।
उपाया देशकालाद्याः सन्त्यस्मिन सहकारिणः।। 14 ।।
સાધનામાં ફળસિદ્ધિ માટે ઉત્તમ અધિકારી હોવું એ વિશેષ આવશ્યકતા છે. આ સિદ્ધિમાં સ્થાન, કાળ વગેરે ઉપાયો તેમાં સહાયક માત્ર છે.
अतो विचारः कर्तव्यो जिज्ञासोरात्मवस्तुनः।
समासाद्य दयासिन्धुं गुरुं ब्रह्मविदुत्तमम्।। 15 ।।
એટલે જિજ્ઞાસુ સાધક માટે એ આવશ્યક છે કે તે ઉત્તમ બ્રહ્મવેત્તા દયાસિંધુ ગુરુનું શરણ સ્વીકારીને તેઓ આત્મવસ્તુ પર ચિંતન મનન કરતા રહે.
Your Content Goes Here