पथ्यमौषधसेवा च क्रियते येन रोगिणा ।
आरोग्यसिद्धिर्दृष्टाऽस्य नान्यानुष्ठितकर्मणा ।। 53 ।।

જે રોગી દવા, સેવન તેમજ ઉપયોગી પથ્ય ગ્રહણ કરે છે, તે જ આરોગ્ય મેળવતો દેખાય છે.
બીજું કોઈ કર્મ કરવાથી તે નિરોગી થઈ જાય એવું જણાતું નથી.

वस्तुस्वरूपं स्फुटबोधचक्षुषा स्वेनैव वेद्यं न तु पण्डितेन ।
चंद्रस्वरूपं निजचक्षुषैव ज्ञातव्यमन्यैरवगम्यते किम् ।। 54 ।।

જેમ કોઈ બીજાની આંખે નહીં, પણ આપણી પોતાની જ આંખે ચંદ્રનું સ્વરૂપ જોઈ સમજી શકાય છે. એવી જ રીતે આત્મારૂપી વસ્તુનું સ્વરૂપ કોઈ બીજા વિદ્વાન દ્વારા નહીં, પરંતુ પોતાની જ જ્ઞાનદૃષ્ટિથી જાણી શકાય છે.

अविद्याकामकर्मादिपाशबन्धं विमोचितुम् ।
कः शक्नुयाद्विनात्मानं कल्पकोटिशतैरपि ।। 55 ।।

સેંકડો, કરોડો યુગો પછી પણ સ્વપ્રયત્ન વિના અવિદ્યા-કામના-કર્મના ચક્રનું બંધન
ભલા કોણ દૂર કરી શકે છે ? અર્થાત્ મુક્તિ સ્વચેષ્ટાથી જ મળશે.

Total Views: 357

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.