मनोबुद्धयहङ्कारचित्तानि नाहं
न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे ।
न च व्योमभूमी न तेजो न वायु-
श्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥ १ ॥

न च प्राणसंज्ञो न वै पंचवायु-
र्न वा सप्तधातुर्न वा पंचकोषाः ।
न वाक्पाणिपादं न चोपस्थपायू
चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥ २ ॥

न मे द्वेषरागौ न मे लोभमोहौ
मदो नैव मे नैव मात्सर्यभावः ।
न धर्मो न चार्थो न कामो न मोक्ष-
श्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥ ३ ॥

न पुण्यं न पापं न सौख्यं न दुःखं
न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः ।
अहं भोजनं नैव भोज्यं न भोक्ता
श्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ।। ४ ।।

न मृत्युर्न शङ्का न मे जातिभेदः
पिता नैव मे नैव माता न जन्म ।
न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्य-
श्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥ ५ ॥

अहं निर्विकल्पो निराकाररूपो
विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणाम् ।
न चासङ्घातं नैव मुक्तिर्न मेय –
श्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥ ६ ॥

હું મન, બુદ્ધિ, ચિત્ત કે અહંકાર નથી. વળી, હું હાથ, જીભ, નાક કે આંખ પણ નથી. પૃથ્વી, તેજ, વાયુ, આકાશ, વગેરે પાંચ મહાભૂતોય હું નથી : હું તો છું ચિદાનંદસ્વરૂપ શિવ. શિવ જ છું. – ૧

હું પ્રાણસંજ્ઞક નથી, પાંચ પ્રકારના પ્રાણ પણ નથી, સાત પ્રકારની સાત ધાતુઓ પણ હું નથી. પાંચ કોશો પણ હું નથી. અથવા વાણી, હાથ, પગ, ઉપસ્થ, ગુદા – એ પાંચ કર્મેન્દ્રિયો પણ હું નથી : હું તો છું ચિદાનંદસ્વરૂપ શિવ. શિવ જ છું. – ૨

મારે કોઈ દ્વેષ કે આસક્તિ નથી, મને કોઈ લોભ કે મોહ પણ નથી. મને મદ કે મત્સર પણ નથી. મારે કોઈ ધર્મ, અર્થ, કામ કે મોક્ષરૂપ કોઈ પુરુષાર્થ નથી : હું તો છું ચિદાનંદસ્વરૂપ શિવ. શિવ જ છું હું. – ૩

હું પુણ્ય, પાપ, સુખ, દુ:ખ, મંત્ર, તીર્થ, વેદ, યજ્ઞ નથી. હું ભોજન, ભોક્તા, ભોજ્ય કશું જ નથી : હું તો છું ચિદાનંદસ્વરૂપ શિવ. શિવ જ છું હું. – ૪

હું મૃત્યુ નથી, મને કોઈ સંદેહ નથી, મારે માટે કોઈ જાતિ કે વર્ણના ભેદ નથી. મારે કોઈ માતા કે પિતા નથી. કે ભાઈભાંડુ, ગુરુ કે શિષ્ય કે મિત્ર નથી : હું તો છું ચિદાનંદસ્વરૂપ શિવ જ. શિવ જ છું હું. – ૫

હું વિકલ્પરહિત, આકારરહિત, વ્યાપક હોવાથી સર્વત્ર છું. બધી ઇન્દ્રિયોને વ્યાપીને રહ્યો છું. મારામાં કોઈ વિસંગતતા નથી, મારે મુક્તિ જેવું કશું છે જ નહિ. હું માપી શકાઉ તેવો નથી : હું તો છું ચિદાનંદસ્વરૂપ શિવ જ. શિવ જ છું હું. – ૬

Total Views: 217

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.