(वसन्ततिलका)
कृष्ण त्वदीयपदपंकजपम्जान्त-
रद्यैव मे विशतु मानसराजहंसः ।
प्राणप्रयाण समये कफवातपित्तैः
कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते?
(વસંતતિલકા)
આજે જ કૃષ્ણ! પદ – પંકજ – પિંજરામાં,
તારા પુરાય મમ માનસ-રાજહંસ;
પ્રાણ – પ્રયાણ – સમયે કફવાતપિત્તે,
કંઠવરોધન થતાં સ્મરું હું તને ક્યાં?
(रथोद्धता)
चिन्तयामि हरिमेव सन्ततं
मन्दमन्दहसिताननाम्बुजम् ।
नन्दगोपतनयं परात्परं
नारदादिमुनिवृन्दवन्दितम् ॥
(રથોદ્ધતા)
ચિંતવું સતત માત્ર કૃષ્ણનું –
મંદ મંદ હસતું મુખાંબુજ,
નંદગોપ-સુત સર્વશ્રેષ્ઠનું
નારદાદિ – મુનિવૃંદ – વન્દિત.
(मालिनी)
करचरणसरोजे कान्तिमन्नेत्रमीने
श्रममुषि भुजवीचिव्याकुले गाधमार्गे ।
हरिसरसि विगाह्या पीय तेजोजलौधं
भवमरुपरिखिन्नः खेदमद्यं त्यजामि ॥
(માલિની)
કર-ચરણ -સરોજો રમ્ય છે નેત્ર રૂડાં,
શ્રમહર અતિ ઊંડું, વીચિ રૂપે ભુજાઓ.
હરિસરવર માંહી સ્નાન ને પાન પામી
ભવ-મરુ-ભ્રમણાનો ખેદ આજે તજું છું.
(पुष्पिताग्रा)
सरसिजनयने सशंखचक्रे
मुरभिदि मा विरमस्व चित्त रन्तुम् ॥
सुखतरमपरं न जातु जाने
हरिचरणस्मरणामृतेन तुल्यम् ॥
(પુષ્પિતાગ્રા)
કમલ – નયન ને સશંખ ચક્ર
મુર – અરિમાં રમવું ન ચિત્ત! છોડ;
સુખદ અવર કૈં ન હું પિછાણું,
હરિ-ચરણ-સ્મૃતિની સુધા સમાન.
સમશ્લોકી અનુવાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
Your Content Goes Here