જ્યારથી મેં સ્વામી વિવેકાનંદ વિષે જાણ્યું છે ત્યારથી મેં એમની શક્તિનો અનુભવ કર્યો છે. સ્વામીજીનો એક વાક્ય મારા જીવનમાં ખુબ જ પ્રેરણાદાયી રહ્યો છે, “આપણે જેટલું બીજાનું ભલું કરશું આપણું હૃદય એટલું જ શુદ્ધ થશે અને પરમાત્માનો એમાં વાસ થશે.”

જેવી રીતે સ્વામીજીએ દેશના યુવકોને શક્તિશાળી બનવા કહ્યું અને સિંહની શક્તિથી કામ કરવા માર્ગદર્શિત કર્યા છે. બીજી બાજુ સ્ત્રીઓને ઘર કામની સાથે ભણતર માટે પણ પ્રોત્સાહિત કર્યા છે અને સીતા માતા જેવું જીવન જીવવાની પ્રેરણા આપી છે.

જેમ સ્વામીજી એ દેશના યુવાનો અને સ્ત્રીઓનું ભલું કર્યું છે એમજ આપણે પણ સ્વામીજીના વિચારો આગળ વધારતા રહીએ. ત્યારે ખરી રીતે આપણે પરમાત્માને પામશું અને શુદ્ધ થશુ.

‘જય ઠાકુર’

‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.

Total Views: 220

2 Comments

  1. Deval Thanki September 10, 2022 at 5:44 pm - Reply

    Thoughts of Swami Vivekananda portrayed perfectly!

    Jay Thakur!🙏🏻

  2. Deval Thanki September 10, 2022 at 12:58 pm - Reply

    Jay thakur!🙏🏻

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.