મન આકુળ – વ્યાકુળ,
રે મુજ મન આકુળ – વ્યાકુળ!
પરમહંસનાં દરશન કાજે શોધે એનું મૂળ… મન

અંગ અંગ અહીં દાહ તો લાગે,
ભસમ કરી દે ફૂલનેય લાગે,
પરિમલનું જાણે શું પામ્યું અસ્ત આખુંયે કુળ…. મન

પંથ પંથ જનસૂનો ભાસે,
ડગલુંયે ના કો’ અવકાશે,
પગલું માંડું તો જાણે કે પગમાં વાગે શૂળ… મન

નહીં જલતો દીપ પવન ફૂંકાતો,
હું મુજથી એકલ મુકાતો,
પામું ના જો પરમહંસને જીવન મારું ધૂળ… મન

– ગોવિંદ દરજી

Total Views: 125

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.