(રાજપૂતાનાના ખેતડીના મહારાજા પ્રતિ)

ઢંકાય છો સૂર્ય ઘટાથી મેઘલી,

ને, આભ હો સાવ વિષાદથી ભર્યું,

તોયે ટકી રહે ઘડી, વીર હૈયા,

જય છે જ નિશ્ચિત.

ન શીત જેનાં પગલે વસંત ના;

ન ખીણ કો શૃંગ થકી વિહીન;

છાયા-પ્રભા પાછળ એકમેકની;

ધૃતિ તો ધરી રહે.

આ જિન્દગીની ફ૨જો છે કારમી,

અને સુખો છે ક્ષણજીવી એનાં,

ને, લક્ષ્ય દેખાય જ સાવ ધૂંધળું,

તોયે, ધપ્યે જા તિમિરોની સોંસરો

એકાગ્ર તાકતે. – ૩

કલ્યાણકૃત્ કૈં તણી ન્હોય દુર્ગતિ,

આશા ભલે ને બનતી નિરાશા.

તારી પ્રજા સર્વ સમૃદ્ધિ પામશે;

ટકી રહે તો ઘડી, વીર આત્મ;

ના શુભ થાય મિથ્યા. -૪

થોડા જ છે માનવ સુજ્ઞ-પ્રજ્ઞ;

લગામ તો’યે કરમાંહીં એમના;

મોડે પ્રીછે લોકસમૂહ એમને;

કરુણાથી દોર તું.

છે ભે૨ માંહી તુજ આર્ષદ્રષ્ટા,

સંગાથ તારી બલના છે સ્વામી,

આશિષ સૌની તુજ પે મહાત્મ હે;

બનશે બધું શુભમ્. – ૬

Total Views: 280

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.