यद्वै तत्सुकृतं रसो वै सः रसंह्येवायं लब्ध्वाऽऽनन्दी भवति । को ह्येवान्यात्कः प्राण्यात् । यदेष आकाश आनन्दो न स्यात् । एष ह्येवानन्दयाति ॥
તે જે પ્રસિદ્ધ સુકૃત છે તે નિશ્ચય રસ જ છે. આ રસને પામીને પુરુષ આનંદયુક્ત થઈ જાય છે. જો આકાશની જેમ વ્યાપક આનંદ સ્વરૂપ પરમાત્મા ન હોત તો કોણ જીવિત રહી શકત, કોણ પ્રાણોની ક્રિયા (ચેષ્ટા) કરી શકત? ખરેખર આ પરમાત્મા જ સર્વને આનંદિત કરે છે.
यदा ह्येवैष एतस्मिन्नदृश्येऽनात्म्येऽनिरुक्तेऽनिलयनेऽभयं प्रतिष्ठां विन्दते । अथ सोऽभयं गतो भवति ॥
જે સમયે આ સાધક આ જોવામાં ન આવનારા, શરીરરહિત, બતાવી ન શકાય અને બીજાનો આશ્રય ન લેનારા પરબ્રહ્મ પરમાત્મામાં નિર્ભયતાપૂર્વક સ્થિતિને પ્રાપ્ત કરે છે, તે સમયે તે અભયપદને પ્રાપ્ત થઈ જાય છે.
(તૈત્તિરીય ઉપનિષદ – ‘બ્રહ્માનંદવલ્લી’ ૨.૭)
Your Content Goes Here