ઉત્તર કોલકાતાના સિમુલિયામાં રહેતા વિશ્વનાથ દત્ત એક પ્રખ્યાત વકીલ હતા. તેમનાં પત્ની ભુવનેશ્વરી દેવી શિવનાં પરમ ભક્ત હતાં.
કુટુંબનો વંશ જળવાઈ રહે તેવી ઇચ્છા રાખી તેમણે તે માટે શિવને પ્રાર્થના કરી. વારાણસીમાં રહેતાં તેમનાં વૃદ્ધ ફોઈને પોતાની આ ઇચ્છા પૂર્ણ કરવા વીરેશ્વર શિવમંદિરમાં પૂજા કરવા પત્ર લખેલો, તેની સાથે તેઓ પોતે પણ ઘરમાં સ્થાપિત કરેલા શિવલિંગની પૂજા કરતાં.
એક વર્ષ પછી તેમનાં આ પ્રાર્થના-પૂજાના ફળ સ્વરૂપે નરેન્દ્રનો જન્મ થયો હતો..
આ પુસ્તક ઓનલાઇન ખરીદો