ઈ.સ.૧૯૦૨, ૪ જુલાઈના રોજ બેલુર મઠ ખાતે સ્વામીજી મહાસમાધિ પામ્યા. તેમનો નિવાસ ખંડ આજે પણ તેમની સ્મૃતિમાં જળવાઈ રહ્યો છે. બેલુર મઠમાં ગંગા કિનારે જ્યાં તેમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો તે સ્થળે આજે તેમનું સ્મૃતિ-મંદિર ઊભું છે.

સ્વામી વિવેકાનંદ લાખો લોકોના આજે પણ પ્રેરણાના સ્રોત બની રહ્યા છે. વર્ષાેથી પ્રકાશિત થઈ રહેલાં તેમનાં લખાણો, વાર્તાલાપો અને પત્રો દ્વારા અસંખ્ય નરનારીઓ અને યુવા ભાઈબહેનો પ્રેરણા અને શક્તિ મેળવે છે.

તેમણે શરૂ કરેલ રામકૃષ્ણ મઠ અને મિશન તેમજ તેની સાથે સંલગ્ન સેંકડો પુરુષો અને સ્ત્રીઓ સમગ્ર વિશ્વમાં જરૂરિયાતવાળાઓના સેવાકાર્યમાં સક્રિયપણે સહભાગી બની રહ્યાં છે.

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories