ઈ.સ. ૧૮૯૭માં કોલકાતા ખાતે સ્વામીજીએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. તેમણે રામકૃષ્ણ મિશનનો મુદ્રાલેખ રાખ્યો – ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ (પોતાની મુક્તિ અને જગતનું કલ્યાણ).

આ રીતે સ્વામીજીએ નવા પ્રકારની સંન્યાસીઓની સંસ્થા શરૂ કરી. ગંગાના પશ્ચિમ કિનારે બેલુર ગામે ભગવાન શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરનું નિર્માણ કર્યું.

હવે તે બેલુર મઠ કહેવાય છે અને ઘણા એકર જમીનમાં ફેલાયેલ છે. તે રામકૃષ્ણ મઠ અને મિશનનું મુખ્યાલય છે. તેની ૧૮૦થી વધુ શાખાઓ સમગ્ર વિશ્વમાં કાર્યરત છે. હજારો લોકો રોજે રોજ બેલુર મઠની મુલાકાતે આવે છે.

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories