એક બાળક તરીકે નરેન્દ્ર ઘણો રમતિયાળ અને તોફાની હતો. તે ઘરમાં તેની બહેનોને અને બીજાને પરેશાન કરતો રહેતો.
ઘણી વાર તો તેને કાબૂમાં લેવાનું ભારે મુશ્કેલ બની જતું. આવા પ્રસંગે માતા તેને શોધીને, તેના માથા પર ‘શિવ’ ‘શિવ’નું ઉચ્ચારણ કરીને ઠંડું પાણી રેડતાં. માથા પર જળનો સ્રોત પડવાથી તે તરત જ શાંત થઈ જતો.
‘જો તું આમ તોફાન કરતો રહીને તારી જાતને કાબૂમાં નહીં રાખે, તો પછી શિવજી તને તેમના દિવ્યધામ કૈલાસમાં પ્રવેશ આપશે નહીં,’ એવું તેનાં માતા કહેતાં. એ સાંભળીને તે તરત જ ગંભીર અને શાંત થઈ જતો.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો