ક્ષુદીરામ અને ચંદ્રામણિ બન્ને ઘણાં ખુશ હતાં. તેઓ એ જાણતાં હતાં કે તેમને ત્યાં દિવ્ય બાળક અવતરવાનું છે. મહિનાઓ વીત્યા, ૧૮મી ફેબ્રુઆરી, ૧૮૩૬ના રોજ ચંદ્રામણિએ સુંદર હૃષ્ટપુષ્ટ પુત્રને પોતાના ઘરની સાધારણ ઝૂંપડીમાં જન્મ આપ્યો.

ચંદ્રામણિની સખી ધની તે બાળકની સંભાળ રાખતી. જન્મતાની સાથે જ બાળક ગુમ થઈ ગયું! ધની મૂંઝવણમાં મુકાઈને ભયભીત બની ગઈ. પછી તેના આશ્ચર્ય વચ્ચે, તેણે બાળકને ચૂલામાં જોયું. મહા આશ્ચર્ય! નવજાત શિશુ ભસ્મથી લિંપાયેલું હતું, જાણે કે શિવ! ભક્ત દંપતીએ ગયાની દેવ-મૂર્તિને ધ્યાનમાં લઈ તેનું નામ ગદાધર રાખ્યું.

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories