એક શિષ્યે તેના ગુરુને પૂછ્યું, ‘ગુરુજી, કૃપા કરીને મને કહો કે હું કેવી રીતે ભગવાનને મેળવી શકું?’ ગુરુજીએ કહ્યું, ‘ચાલ મારી સાથે, આજે હું તને એ બતાવીશ.’ તેઓ શિષ્યને એક તળાવ ૫ાસે લઈ ગયા અને બન્ને પાણીમાં ઊતર્યા.

અચાનક ગુરુએ શિષ્યનું માથું પાણી નીચે દબાવ્યું, કેટલીક ક્ષણો પછી તેને બહાર કાઢ્યો અને શિષ્યે તેનું માથું ઊંચું કર્યું ને ઊભો રહ્યો. ગુરુએ તેને પૂછ્યું, ‘તને કેવું લાગતું હતું?’ શિષ્યે કહ્યું, ‘ઓહ! મને લાગતું હતું કે હું મરી જઈશ; હું શ્વાસ લેવા માટે તડપતો હતો.’ ગુરુએ કહ્યું, ‘જ્યારે તું એવું અનુભવીશ, ત્યારે ઈશ્વરદર્શન માટે તારે વધુ પ્રતીક્ષા કરવી પડશે નહીં.’

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories