ઈ.સ.૧૮૩૫ના વર્ષમાં ક્ષુદીરામ ગયાની તીર્થયાત્રાએ ગયા હતા. ત્યાં તેમને એક અપૂર્વ સ્વપ્ન આવ્યું. ગયામાં ભગવાન વિષ્ણુ તરીકે ઓળખાતા, ગદાધર તેમની સમક્ષ ઉપસ્થિત થયા અને કહ્યું, ‘હું તમારા પુત્ર રૂપે જન્મ લઈશ.’ એ જ સમયે કામારપુકુરમાં ચંદ્રામણિ શિવમંદિરમાં પૂજન કરતાં હતાં. તેમણે જોયું કે શિવલિંગમાંથી તેજોમય કિરણો પોતાની તરફ આવી રહ્યાં છે. આ કિરણો તેમની ચોમેર ફરી વળ્યાં. તેઓ લગભગ બેહોશ થઈ ગયાં.

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories