તાંત્રિક સાધનામાં પારંગત ભૈરવી બ્રાહ્મણી નામની એક તપસ્વિની દક્ષિણેશ્વર આવી. તે ભગવાં વસ્ત્ર પહેરતી હતી. શ્રીરામકૃષ્ણે પોતાની બધી આધ્યાત્મિક સાધનાની અનુભૂતિઓનું વર્ણન ભૈરવી બ્રાહ્મણી સમક્ષ કર્યું. તેમણે શ્રીરામકૃષ્ણની દિવ્યતા પારખી લીધી. તેમણે શ્રીરામકૃષ્ણને તાંત્રિક સાધનાની દીક્ષા આપી કે જેથી તેઓ બધી નારીઓને જગન્માતારૂપે જુએ. તેજસ્વી શિષ્યે ઘણી ત્વરાથી તેને શીખવવામાં આવેલી પદ્ધતિઓને ગ્રહણ કરી લીધી અને ત્વરાથી સમજી ગયા કે બધી સાધનાઓ ઈશ્વર તરફ લઈ જતા જુદા જુદા માર્ગાે છે. ભૈરવી બ્રાહ્મણી તે જોઈને રોમાંચિત બની ગઈ કે તેનો શિષ્ય આધ્યાત્મિક સિદ્ધિઓમાં તેના કરતાં આગળ નીકળી ગયો!
તેણે શૈવો અને વૈષ્ણવો બન્નેના પંડિતોની એક સભા બોલાવી. વિસ્તૃત ચર્ચાઓ પછી તેઓએ સર્વાનુમતે સ્વીકાર્યું કે શ્રીરામકૃષ્ણ સાચે જ ભગવાનના એક અવતાર છે.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો