સાધનો અને નાણાનો અભાવ જેવાં અનેક વિઘ્નો છતાં, પરિચયપત્ર વિના શિકાગોની ધર્મપરિષદમાં છેવટે સ્વામીજીએ તેમનું પ્રથમ પ્રારંભિક પ્રવચન ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ આપ્યું.

વિદ્યાની દેવી સરસ્વતીને પ્રાર્થના કર્યા બાદ તેમણે એકત્ર થયેલ શ્રોતાઓ સમક્ષ ‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ કહીને સંબોધન કર્યું. આની વિદ્યુતસંચાર જેવી અસર થઈ હતી અને ઘણી મિનિટો સુધી દરેકે તાળીઓનો ગડગડાટ ચાલુ રાખ્યો હતો.

પ્રેમ અને નિષ્ઠા સાથે ઉચ્ચારાયેલા તેમના સર્વગ્રાહી અને ઉદાર વિચારોએ બધાનાં હૃદયને પ્રભાવિત કર્યાં હતાં.

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories