થોડા દિવસ પછી નરેન્દ્રે દક્ષિણેશ્વરની મુલાકાતે જવાનું નકકી કર્યું. નરેન્દ્ર ત્યાં પહોંચ્યો. શ્રીરામકૃષ્ણદેવે તેને ઉમળકાભેર હાર્દિક આવકાર આપ્યો.
જે પ્રશ્ન તેણે આ પહેલાં ઘણાને પૂછ્યો હતો તે પ્રશ્ન શ્રીરામકૃષ્ણદેવને પણ પૂછ્યો, ‘મહાશય, શું આપે ઈશ્વરને જોયો છે?’
શ્રીરામકૃષ્ણદેવે તરત જ નરેનને પ્રત્યુત્તર આપ્યો, ‘હા! જેમ હું તને જોઉં છું તેમ જ મેં ઈશ્વરને જોયો છે. એટલું જ નહીં, હું તેને ઘણી સારી રીતે જોઉં છું. કોઈપણ વ્યક્તિ ઈશ્વરને જોઈ શકે છે પણ તેવું ઇચ્છે છે કોણ?’
શ્રીરામકૃષ્ણદેવના કથનથી નરેન્દ્ર સાચે જ ખૂબ પ્રભાવિત થયો અને તેમના વિશે જ વિચારતો રહ્યો.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો