એ પછી નરેન્દ્રે વારંવાર દક્ષિણેશ્વરની મુલાકાતે જવાનું શરૂ કર્યું. દરમિયાનમાં નરેન્દ્રના પિતાનું અણધાર્યું અવસાન થયું.
આને લઈને કુટુંબના બધા પર પારાવાર મુશ્કેલીઓ આવી પડી. આથી ભારે વિક્ષિપ્ત થઈ, નરેન્દ્રે શ્રીરામકૃષ્ણને તેનાં આ કષ્ટો દૂર કરવા શ્રીમા કાલીને પ્રાર્થના કરવા વિનંતી કરી.
શ્રીરામકૃષ્ણદેવે સૂચવ્યું કે નરેન્દ્ર પોતે જ મંદિરમાં જઈને માને પ્રાર્થના કરે. જ્યારે નરેન્દ્ર મંદિરમાં પ્રવેશતો ત્યારે માગવાની વસ્તુને ભૂલી જતો અને તેના બદલે ભક્તિ અને જ્ઞાન માટે પ્રાર્થના કરતો.
અંતે શ્રીરામકૃષ્ણદેવે નરેન્દ્રનાથને આશીર્વાદ આપતાં કહ્યું કે તારાં કુટુંબીજનોને સાદાં અન્નવસ્ત્રનો અભાવ રહેશે નહીં.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો