વરાહનગર મઠ ખાતે થોડા મહિના વિતાવ્યા પછી સમગ્ર ભારતનાં બધાં તીર્થસ્થાનોએ ભ્રમણ કરવાની સ્વામીજીને ઇચ્છા થઈ.

પરિભ્રમણ દરમિયાન દેશ-બંધુઓની દયાજનક હાલત જોઈને સ્વામીજીને ઘણું દુઃખ થયું. ભારતના ધાર્મિક અને આધ્યાત્મિક વારસાને ધ્યાનમાં રાખીને સ્વામીજી આનો ઉકેલ ઇચ્છતા હતા.

કન્યાકુમારી પહોંચીને સમુદ્રમાં આવેલ શ્રીપાદ શિલા પર તેમણે ત્રણ દિવસ ધ્યાન ધર્યું અને પોતાના દેશવાસીઓની સેવા કરવામાં જીવન વિતાવવાનો નિર્ણય કર્યાે.

ભારતના આધ્યાત્મિક સંદેશના પ્રચાર માટે અને ભારતની અવદશાને સુધારવા માટે મદદ માગવા તેમણે પશ્ચિમના દેશોમાં જવાનું નકકી કર્યું.

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories