અમેરિકામાં વિશ્વધર્મપરિષદ યોજાવાની છે એ અંગે સ્વામીજીને જાણકારી મળી. એમાં ભાગ લેવાના તેમના વિચારને સ્વામીજીના શિષ્યો અને તેમના ભ્રમણ દરમિયાન જે કેટલાક ભારતીય રાજાઓ અને રાજકુંવરોને તેઓ મળ્યા હતા તે સહુએ સક્રિયપણે સમર્થન આપ્યું.

એમના પ્રવાસ અને બીજા ખર્ચાઓને માટે નાણાકીય ભંડોળ એકત્ર કરવામાં મદ્રાસના ઘણા યુવાનો આગળ આવ્યા.

સ્વામીજીએ તેમના આ વિચાર માટે શ્રીમા શારદાદેવીને પત્ર લખ્યો અને તેમના આશીર્વાદ માગ્યા. શ્રીમા શારદાદેવીએ આશીર્વાદ આપ્યા અને તેમને આ બાબત આગળ વધવા જણાવ્યું.

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories