જ્યારે તેઓ માત્ર પાંચ વર્ષનાં હતાં ત્યારે તેમનાં લગ્ન શ્રીરામકૃષ્ણ સાથે થયાં હતાં. શ્રીરામકૃષ્ણ તે સમયે કોલકાતા પાસેના દક્ષિણેશ્વર કાલીમંદિરમાં રહેતા હતા.

શ્રીરામકૃષ્ણ મોટાભાગે ઈશ્વરીય ભાવાવસ્થામાં રહેતા હતા. તેમને અનેક આધ્યાત્મિક અનુભૂતિઓ થઈ હતી અને જગજ્જનની મા કાલીનાં દર્શન થયાં હતાં.

લગ્ન પછી શ્રીશારદાદેવી તેમનાં માતા-પિતા સાથે જ રહેતાં હતાં. જ્યારે તેઓ ૧૬ વર્ષનાં થયાં ત્યારે જ શ્રીરામકૃષ્ણ સાથે રહેવા આવ્યાં હતાં.

શ્રીરામકૃષ્ણ તેમના તરફ સન્માનભાવ રાખતા અને શ્રીમા શારદાદેવી એમની ખરા દીલથી સેવા કરતાં. તેઓનું લગ્નજીવન સર્વ શારીરિક આકર્ષણોથી મુક્ત હતું અને તેઓએ ઉદાત્ત અને પવિત્ર જીવન વિતાવ્યું.

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories