એક વખત શ્રીશારદાદેવી દક્ષિણેશ્વર જવા માટે સંઘ સાથે જંગલમાંથી પસાર થઈ રહ્યાં હતાં. તેવે સમયે અચાનક પોતાની સામે એક કદાવર ડાકુને એમણે જોયો.

પોતાના મનની સ્વસ્થતા જરાય ગુમાવ્યા વિના તેમણે ડાકુને ‘પિતાજી’ કહીને સંબોધ્યા. તે સંબોધન લુટારાના હૃદયને સ્પર્શી ગયું અને તરત જ પોતાની દીકરી સમજીને પિતા તરીકેની સંભાળ લીધી.

તે પાસેના ગામમાં આવેલી નાનકડી દુકાને લઈ ગયો અને મમરા વગેરે ખવરાવી રાતવાસો કરાવ્યો. બીજા દિવસે સવારે ડાકુ-પિતાએ દક્ષિણેશ્વર જતા સંઘ સાથે શ્રીમા શારદાદેવીનો મેળાપ કરાવી દીધો.

ખરેખર પ્રેમ અને સરળતા કઠોર હૃદયના લુટારાનું પણ હૃદય પરિવર્તન કરી શકે છે.

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories