શ્રીરામકૃષ્ણ જ્યારે દક્ષિણેશ્વર રહેતા હતા ત્યારે સેંકડો લોકો તેમનાં દર્શને આવતા હતા. ભક્તો સાથેના તેમના અપૂર્વ આધ્યાત્મિક સંવાદો ચાલતા ત્યારે તે અનેરું દૃશ્ય જોવા શ્રીમા ઘણાં ઉત્સુક રહેતાં.
પણ તેઓ શરમાળ સ્વભાવનાં હતાં તેથી તેમની પાસે હંમેશાં ઉપસ્થિત રહેતા પુરુષોની હાજરીમાં ત્યાં નજીક જવું તેમને માટે સાનુકૂળ ન રહેતું.
એટલે નોબતખાનાના ઓરડામાં રહી સામે લટકતી વાંસની ચટાઈમાં રહેલા એક છિદ્રમાંથી તેઓ શ્રીરામકૃષ્ણનું ભજનકીર્તન જોતાં.
પોતાને ઘણી જ શારીરિક પીડાઓ રહેતી હોવા છતાં શ્રીમા શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશો ધ્યાનથી સાંભળતાં હતાં.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો