ભોજન અને વસ્ત્રની જરૂરિયાત માટે ઘણા સાધુઓ અને ભિક્ષુકો દત્ત પરિવારના આંગણે આવતા.
એમને જોતાં જ નાનો નરેન તેમને પોતાની આસપાસ રહેલી કોઈપણ કિંમતી વસ્તુઓ પણ આપી દેતો.
નરેનની આવી ટેવને કારણે, તેનાં પરિવારજનો જ્યારે કોઈ ભિક્ષુક કે સાધુને પોતાના ઘર તરફ આવતા જોતા ત્યારે નરેનને ઉપરના ઓરડામાં પૂરી દેતા.
આનાથી ગભરાયા વિના નરેન ભિક્ષુકોને બારી પાસે બોલાવતો ને ત્યાંથી વસ્ત્રો કે બીજી કોઈ પણ વસ્તુઓ આપી દેતો.
આમ, બીજાને સહાય કરવી એ નરેનનો જન્મજાત સ્વભાવ હતો.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો