(સ્વામી ગર્ગાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. તેમણે રચેલ આ સ્તવન સ્વામી વિવેકાનંદજી દ્વારા રચિત ‘ૐ હ્રીં ઋતમ્’ સ્તવ પ્રમાણે જ છંદોબદ્ધ થયેલ છે.)
(વસંત તિલકા)
आद्यन्तहीन – महिमान्वित – विश्वपूज्यः
सृष्ट्यास्तुपालनपरः सकलार्थसारः।
नित्यश्च वेदपुरुषः खलु बुद्धिपारः
श्रेष्ठावतार इह यः स हि रामकृष्णः॥१॥
मर्ते अहो कलियुगे नरजन्म यस्य
मुक्तिश्च भक्तिमतुलां शरणं विधातुम्।
श्रीकल्पवृक्षसदृशो वरदः शुभार्थी
श्रेष्ठावतार इह यः स हि रामकृष्णः॥२॥
श्रीसारदा भगवती भुवि यस्य शक्तिः
यः पार्षदैर्निजजनै परिवेष्टितश्च।
शांतिप्रदं जगति यस्य ‘कथामृतं’ वै
श्रेष्ठावतार इह यः स हि रामकृष्णः॥३॥
कारुण्यर्यादव्यजलधिस्तरणी भवाब्धौ
लीलामयश्चिरमहो भुवि दीनवन्धुः
श्रेष्ठावतार इह यः स हि रामकृष्णः॥४॥
नमः श्रीरामकृष्णाय नमो भक्तहृदात्मने
शान्ताय योगयुक्ताय सारदापतये नमः॥५॥
ગુજરાતી અનુવાદ
જે આદિ અને અંત-હીન છે, મહિમાવંત છે, વિશ્વ માટે પૂજનીય છે, જગતનું પાલનપોષણ કરે છે, જે સકલ વસ્તુઓના સારતત્ત્વરૂપ છે, સનાતન વેદપુરુષરૂપ છે, જેઓ બુદ્ધિની પેલે પાર છે, તે જ ખરેખર શ્રેષ્ઠાવતારસ્વરૂપ અહીં શ્રીરામકૃષ્ણ છે. ૧
અહા! જેમણે ભક્તોને શરણું, ભક્તિ અને મુક્તિ આપવા માટે કલિયુગમાં આ મર્ત્યલોકમાં માનવરૂપ ધારણ કર્યું છે, તે કલ્પવૃક્ષ સમા વરદાન આપનારા, કલ્યાણ કરવા ઈચ્છતા જે શ્રેષ્ઠ અવતારી છે તે ખરેખર અહીં શ્રીરામકૃષ્ણ છે. ર
આ પૃથ્વી પર ભગવતી સારદા જેમની શક્તિ છે અને જેઓ હંમેશાં પોતાના પાર્ષદોથી ઘેરાયેલા રહે છે, આ જગતમાં જેમનું કથામૃત સાચી શાન્તિ આપે છે, તે શ્રેષ્ઠ અવતારી પુરુષ ખરેખર અહીં શ્રીરામકૃષ્ણ છે. ૩
જેઓ કરુણાના દિવ્ય સાગર સમા છે, જેઓ ભવસાગરને તરવા માટેની નાવસ્વરૂપ છે, જેઓ શરણે આવેલાં દુ:ખીજનોને પ્રેમથી નિહાળીને દુ:ખો દૂર કરે છે, પૃથ્વી પર જે લાંબા કાળે લીલામય બનીને દીનહીનોના બંધુ રૂપે રહ્યા છે, તે શ્રેષ્ઠ અવતારી પુરુષ અહીં ખરેખર શ્રીરામકૃષ્ણ છે. ૪
આવા, ભક્તોના હૃદયસ્વરૂપ, યોગરત, શાન્ત-સૌમ્યમૂર્તિ, શારદાપતિ શ્રીરામકૃષ્ણદેવને નમસ્કાર. ૫
અનુવાદ: કેશવલાલ વિ. શાસ્ત્રી
Your Content Goes Here