ક્વિઝ

. સ્વામી વિવેકાનંદે ક્યારે અને કોને ભારત પાછા આવવા વાત કહી હતી?

૧૮૯૬ની સાલમાં, નવેમ્બર મહિનામાં, લંડનમાં, મિસિસ સેવિયરને તેમણે આ વાત કહી હતી.

. પાછા ફરવા માટે, કઈ કંપનીની સ્ટીમરમાં અને કઈ તારીખની ટિકિટ, સ્વામી વિવેકાનંદ માટે લેવામાં આવી હતી?

ઉત્તર જર્મનીની લૉઈડ કંપનીની ‘પ્રિન્સ રિજન્ટ લિઓપોલ્ડ’ નામની સ્ટીમરમાં; તારીખ ૧૬મી ડિસેમ્બર ૧૮૯૬.

. સ્વામીજીએ કઈ જગ્યાએથી અને ક્યારે ભારત પાછા ફરવા સ્ટીમર લીધેલી?

૧૮૯૬ની સાલમાં; ૩૦મી ડિસેમ્બરે, નેપલ્સથી.

. સ્વામીજી લંડનથી નેપલ્સ કઈ રીતે આવેલા?

જમીનને માર્ગે – પૅરિસ, ઈટાલી, રોમ થઈ તેઓ નેપલ્સ આવેલા.

. ભારતની યાત્રામાં સ્વામીજી સાથે કોણ કોણ હતું?

ગુડવીન તેમજ મિસ્ટર અને મિસિસ સેવિયર.

. ગુડવીન ક્યે સ્થળેથી સ્વામીજીના સાથી બનેલા?

ગુડવીન સાઉધૅમ્પટનથી સ્ટીમરમાં આવેલા અને નેપલ્સથી સ્વામીજીના સાથી બનેલા.

. સ્વામીજીએ અખંડ ભારતમાં ક્યારે અને ક્યે સ્થળે સૌ પ્રથમ પગ મૂક્યા હતા?

અત્યારના શ્રીલંકાના કોલમ્બો બંદ૨ ઉ૫૨, ૧૮૯૭ની સાલમાં, ૧૫મી જાન્યુઆરીએ.

. સ્ટીમર ઉપર સૌ પ્રથમ કોણે કોણે સ્વામીજીને આવકાર આપેલો?

સ્વામીજીના ગુરુભાઈ સ્વામી નિરંજનાનંદજી તથા કોલમ્બોની તેમને આવકાર આપવા રચેલી સમિતિના પ્રતિનિધિ બૌદ્ધ હેરિસન સાહેબ.

. ભૂમિ પર પદારોહણ કર્યા પછી સ્વામીજીનું કઈ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું?

હજારોની સંખ્યામાં લોકોએ આનંદ અને હર્ષધ્વનિથી સ્વામીજીનું સ્વાગત કર્યું હતું.

૧૦. જનતા તરફથી કોણે સૌ પ્રથમ સ્વામીજીનું સ્વાગત કર્યું હતું?

સિંહલની તે સમયની કારોબારી સમિતિના સભ્ય પી.કુમારસ્વામી અને તેમના ભાઈએ.

૧૧. સ્વામીજીએ અખંડ ભારતમાં ક્યારે, ક્યાં અને ક્યું પ્રથમ ભાષણ કર્યું હતું?

કોલમ્બોના ફલૉરલ હૉલમાં, ૧૮૯૭ની સાલની ૧૬મી જાન્યુઆરીએ ‘પુણ્યભૂમિ ભારત’ નામના શીર્ષકવાળું ભાષણ કર્યું હતું.

૧૨. ઉપરાંત સ્વામીજીએ ક્યાં ક્યાં બીજાં ભાષણો કર્યાં હતાં?

ત્રણ ભાષણો – કોલમ્બોના પબ્લિક હૉલમાં ‘વેદનો સર્વજનિન ધર્મ’, અનુરાધાપુરમાં બોધિવૃક્ષ તળે ‘પૂજા’ તેમ જ જાફનાની હિન્દુ કૉલેજમાં ‘વેદાન્ત’ વિશે ભાષણો કર્યાં હતાં.

૧૩. શ્રીલંકાનાં ક્યાં ક્યાં દૈનિકોમાં સ્વામીજીના સ્વાગતનું વિસ્તૃત વર્ણન છાપવામાં આવ્યું હતું?

‘ઓવરલૅન્ડ સિલોન ઑબ્ઝરવર’, ‘સિલોન ઈન્ડિપેન્ડન્ટ’ અને ‘હિન્દુ ઑરગન.’

૧૪. શ્રીલંકાથી સ્વામીજી સાથીઓ સહિત, કઈ રીતે, ક્યારે અને ક્યાં આવ્યા હતા?

જળમાર્ગે પંબનમાં; ૧૮૯૭ની સાલમાં ૨૬મી જાન્યુઆરીએ.

૧૫. પંબનમાં કોણે સ્વામીજીનું સ્વાગત કરેલું?

રામનાદના રાજા ભાસ્કર સેતુપતિએ.

૧૬. સ્વામીજીના ચરણસ્પર્શથી ધન્ય બનેલા પંબનમાં તેમના સ્મરણાર્થે રાજા સેતુપતિએ કેટલો ફૂટ ઊંચો વિજય સ્તંભ રચેલો? ત્યાં કઈ ભાષામાં (સ્વામીજીનાં) ગુણગાન ગાવામાં આવ્યાં છે?

ચાલીસ ફૂટ ઊંચો – તામિલ ભાષામાં.

૧૭. ‘દરિદ્ર, દુર્બળ, રોગીસૌમાં જેને શિવનાં દર્શન થાય છે, તે યથાર્થ રૂપમાં શિવની ઉપાસના કરે છે. જે માણસ કેવળ શિવની પ્રતિમાને પૂજે છે, તે પોતાને છેતરે છે. જે વ્યક્તિ કેવળ માત્ર મંદિરમાં શિવનાં દર્શન કરે છે, તેના કરતાં જે જાતિ કે ધર્મનો ભેદભાવ જોયા વગર, કેવળ એક દરિદ્રની શિવને સંભારી સેવા કરે છે, તેના ઉપર શિવ વધુ પ્રસન્ન થાય છે.’ કોણે ક્યારે શબ્દો કહ્યા હતા?

સ્વામી વિવેકાનંદે, રામેશ્વરના મંદિરમાં ભાષણ આપતાં આ કહ્યું હતું.

૧૮. દક્ષિણ ભારતમાં ક્યાં ક્યાં સ્વામીજીનું બહુ મોટા પાયા ઉપર સ્વાગત કરવામાં આવેલું?

પંબન, રામેશ્વરમ્. રામનદ, પરમકુડિ, મદુરા, કુમ્ભકોનમ્ અને મદ્રાસ.

૧૯. દક્ષિણ ભારતમાં કોણે પોતે સ્વામીજીની ગાડી ખેંચી હતી?

પંબનમાં, રાજા ભાસ્કર સેતુપતિની સાથે ત્યાંના જાણીતા નાગરિકોએ.

૨૦. કોના ફોનોગ્રામ યંત્ર ઉપર સ્વામીજીએભારતમાં શક્તિ ઉપાસનાઉપર નાનું સરખું ભાષણ કરેલું?

રાજા ભાસ્કર સેતુપતિના ફોનોગ્રામ ઉપર.

૨૧. કુમ્ભકોનમ્માં સ્વામીજીએ આપેલા ભાષણનું શીર્ષક શું હતું?

‘ધ મિશન ઑફ વેદાન્ત.’

૨૨. રાજા ભાસ્કર સેતુપતિએ સ્વામીજીના સ્મરણાર્થે શું કર્યું હતું?

પૈસા એકઠા કરી મદ્રાસમાં દુષ્કાળ રાહતના કામ માટે મોકલ્યા હતા.

૨૩. ક્યાં અને કયા ગુરુભાઈ સ્વામીજીને મળ્યા હતા?

મદુરામાં, સ્વામી શિવાનંદજી (મઠ-મિશનના બીજા અધ્યક્ષ).

૨૪. કુમ્ભકોનમ્થી ટ્રેનમાં મદ્રાસ જતી વખતે કઇ જગ્યાએ જનતા સ્વામીજીનાં દર્શન માટે રેલના પાટા ઉપર સૂઈ ગઈ હતી?

મદ્રાસની પાસે એક નાના સ્ટેશન ઉ૫૨.

૨૫. મદ્રાસમાં ક્યારે અને ક્યાં સ્વામીજી ઉતરેલા?

ઍગમૉર સ્ટેશન ઉપર, ૬ ફેબ્રુઆરી ૧૮૯૭માં

૨૬. કુમ્ભકોનમ્થી કોણ સ્વામીજીના સાથી બન્યા હતા?

જ્યારે સ્વામીજી પરિવ્રાજક હતા તે સમયથી પરિચિત સ્વામીજીના ભક્ત પ્રૉફેસર ઍમ. રંગાચાર્ય.

૨૭. સ્વામીજી અને તેમના સાથીઓ મદ્રાસમાં ક્યાં રહેલા?

સ્વામીજીના શિષ્ય બિલરિરિ આયંગરને ઘેર – કૅસલ કોર્નરમાં.

૨૮. ઘરનું નામ શું છે?

આઈસ હાઉસ – અત્યારે વિવેકાનંદ હાઉસ.

૨૯. મદ્રાસમાં સ્વામીજીના શિષ્ય ભક્તમાંથી પાંચના નામ આપો.

આલાસિંગા પેરુમલ, કિડિ, ડૉ.નાજુંદા રાવ, પ્રૉફેસર કે. સુન્દરમ્ આયર અને પી.આરા સુન્દર આયર.

૩૦. મદ્રાસમાં સ્વામીજીનો સત્કાર કરવા કેટલાં સુંદર તોરણ તૈયાર કરવામાં આવેલાં?

સત્તર.

૩૧. મદ્રાસમાં સ્વામીજીનું સ્વાગત કરવા તોરણો બનાવેલાં તેમાં શું લખેલું હતું?

‘પૂજનીય વિવેકાનંદ દીર્ઘજીવી બનો,’ ‘પ્રાચીન ઋષિ સેવકનું સ્વાગત કરીએ છીએ,’ ‘શાંતિના દૂત પધારો’, ‘રામકૃષ્ણના યથાર્થરૂપમાં સંતાન, ભલે પધારો.’

૩૨. મદ્રાસમાં સ્વાગત સમિતિના પ્રમુખ કોણ હતા?

મદ્રાસના હાઈકૉર્ટના જજ સુબ્રમણ્યમ આય્યર.

૩૩. મદ્રાસમાં ક્યાં ક્યાં દૈનિક અખબારોએ સ્વામીજીની મુલાકાત લીધેલી?

‘મદ્રાસ ટાઈમ્સ’, ‘મદ્રાસ મેલ’, ‘ધ હિન્દુ’.

૩૪. મદ્રાસના નાગરિકોએ સ્વામીજીનું સ્વાગત શી રીતે કરેલું?

કોઈ રાજાની જેમ તેમનું સ્વાગત કરવામાં આવેલું. કપૂરની આરતી, ધૂપ, દીવાઓ, પુષ્પો વગેરેથી, એમનો સામુહિક સત્કાર કરવામાં આવ્યો.

૩૫. દરિયાકિનારેથી કૅસલ કોર્નર સુધી સ્વામીજીની ઘોડાગાડી કોણે ખેંચી હતી?

વિદ્યાર્થીઓએ.

૩૬. મદ્રાસમાં એમને અભિનંદન મળ્યાં ત્યારે સ્વામીજીએ કેટલાં પ્રેરણાત્મક ભાષણો કર્યાં હતાં? ભાષણોના વિષય ક્યા હતા?

પાંચ ભાષણો ૧. મારી સમર યોજના ૨. ભારતના મહાપુરુષો ૩. રાષ્ટ્રીય જીવનમાં વેદાન્તની ઉપયોગિતા ૪. ભારતનું ભવિષ્ય ૫. આપણું અત્યારનું કર્તવ્ય.

૩૭. મદ્રાસમાં સ્વામીજીને કઈ કઈ ભાષામાં અને કેટલાં સન્માન પત્ર આપવામાં આવ્યાં હતાં?

અંગ્રેજી, સંસ્કૃત, તામિલ, તેલુગુ અને કન્નડ. ચોવીસ

૩૮. મદ્રાસમાં પહેલો સત્કાર સમારંભ ક્યાં થયો હતો? ત્યાં કેટલા લોકોની હાજરી હતી?

વિક્ટોરિયા હૉલમાં. ૧૦ હજાર માણસો આવ્યા હતા.

૩૯. ‘પરંતુ, ભારતમાં ધર્મ રાષ્ટ્રીય જીવનના કેન્દ્રમાં રહેલો છે, જાણે કે રાષ્ટ્રીય જીવનનો મુખ્ય સૂર છે અને જો કોઈ પણ પ્રજા, તેની સ્વાભાવિક જીવનશક્તિ, હજારો વર્ષોથી જે દિશામાં તેની પોતાની ગતિનો સ્રોત ચાલી રહ્યો છે તેનો ત્યાગ કરવાનો પ્રયાસ કરે અને જો પ્રયાસ સફળ થાય, તો તેનું મૃત્યુ નિશ્ચિત છેકોણે, ક્યારે, ક્યા ભાષણમાં કહ્યું હતું?

સ્વામીજીએ, મદ્રાસમાં ‘મારી સમર યોજના’ ભાષણમાં આ કહ્યું હતું.

૪૦. ‘વેદાંતનાં સર્વ મહાન તત્ત્વો કેવળ અરણ્ય કે પર્વતની ગુફામાં બંધ પડી રહેશે નહીં; ન્યાયાલયોમાં, ભજનસભાઓમાં, દરિદ્રની ઝૂંપડીમાં, માછીમારોનાં ઘરોમાં, વિદ્યાર્થીઓના અભ્યાસખંડમાંબધેજ તત્ત્વોની આલોચના થશે અને કાર્યમાં પરિણત થશે. જો કોઈ માછીમાર પોતાના આત્માનું ચિંતન કરે, તો તે એક સારો માછીમાર બનશે, કોઈ વિદ્યાર્થી તે પ્રમાણે કરે, તો તે સારો વિદ્યાર્થી બનશે. વકીલ જો પોતાના આત્માનું ચિંતન કરે તો તેનું કાયદાનું જ્ઞાન ચઢિયાતું બનશે. રીતે સૌ કોઈનું થશે.’ કોણે, ક્યારે, ક્યા ભાષણમાં કહ્યું હતું?

સ્વામીજીએ, મદ્રાસમાં પોતાના ‘ભારતીય જીવનમાં વેદાંતની ઉપયોગિતા’ ભાષણમાં આ કહ્યું હતું.

૪૧. ‘ભારતને હું મારા પ્રાણથી અધિક ચાહું છું, સ્વદેશના કલ્યાણ માટે મેં હંમેશાં મારી કમર કસેલી છે, આપણા પ્રાચીન પૂર્વપુરુષો પ્રત્યે ખાસ ભક્તિ તેમ શ્રદ્ધા ધરાવું છું. પરંતુ, વિશ્વ પાસેથી આપણે ઘણું બધું શીખવાનું છે. માન્યતા હું છોડી શકતો નથી.’ કોણે, ક્યારે, ક્યા ભાષણમાં પ્રમાણે કહ્યું હતું?

સ્વામીજીએ. મદ્રાસમાં ‘આપણું હાલનું કર્તવ્ય’ એ ભાષણમાં.

૪૨. સ્વામીજી મદ્રાસથી ક્યારે, ક્યાં અને કઈ રીતે બંગભૂમિ ઉપર આવી પહોંચેલા?

૧૮૯૭ની સાલની ૧૯મી ફેબ્રુઆરીની રાત્રે, સ્ટીમરમાં બજબજ આવી પહોંચેલા.

૪૩. સ્વામીજી ક્યાંથી, કઈ રીતે કલકત્તા આવ્યા હતા?

બજબજથી, એક ખાસ ટ્રેનમાં શિયાલદા આવ્યા હતા.

૪૪. શિયાલદામાં સ્વામીજીનો સત્કાર કઈ રીતે કરવામાં આવ્યો હતો?

લગભગ ૨૦ હજાર માણસોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વામીજીનું સ્વાગત કર્યું હતું. શહેરની બધી જ શ્રેણીના માણસો ત્યાં ઉપસ્થિત હતા. વિદ્યાર્થીઓએ સ્વામીજીની ગાડી ખેંચી રિપન કૉલેજ (હાલની સુરેન્દ્રનાથ કૉલેજ) સુધી તેઓને લઈ આવ્યા હતા. કૉલેજના આંગણમાં સ્વામીજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

૪૫. કલકત્તામાં રિસૅપ્શન કમિટિના પ્રમુખ કોણ હતા? ક્યા સંપાદક તેમની સાથે હતા?

પ્રમુખ હતા – દરભંગાના મહારાજા અને ‘ઈન્ડિયન મિરર’ છાપાના સંપાદક શ્રી નરેન સેન તેમની સાથે હતા.

૪૬. કલકત્તા આવ્યા તે સમયે સ્વામીજીની સાથે ક્યા ક્યા મદ્રાસી શિષ્યો તેમના સાથી બન્યા હતા?

આલાસિંગા પેરૂમલ, જી. જી. નરસિંહાચાર્ય, સિંગારવેલુ મુદાલિયાર.

૪૭. કલકત્તાવાસીઓ ક્યાં અને ક્યારે સ્વામીજીનું વિધિસર સ્વાગત કર્યું હતું?

શોભાબજારમાં, રાજા રાધાકાન્તદેવ બહાદુરના મહેલનાં મોટા આંગણામાં, ૧૮૯૭ની સાલની ૨૮મી ફેબ્રુઆરીએ.

૪૮. સત્કાર સમારંભમાં પ્રમુખસ્થાને કોણ હતું?

રાજા વિનયકૃષ્ણદેવબહાદુર.

૪૯. સત્કાર સમિતિના સભ્યો કોણ હતા?

કલકત્તાના જાણીતા નાગરિકો.

૫૦. સત્કાર સમારંભમાં પોતાના પ્રતિભાવરૂપે આપેલા સ્વામીજીના ભાષણનું શીર્ષક શું હતું?

‘કલકત્તામાં મળેલા અભિનંદનનો જવાબ.’

૫૧. ભાષણમાંથી કોઈ એક વાક્ય લખો.

(૧) તમારી સમક્ષ હું સંન્યાસીના રૂપમાં આવ્યો નથી, ધર્મ પ્રચારકના રૂપમાં પણ નહિ, પરંતુ પહેલાંની જેમ, પેલા કલકત્તાના બાળકરૂપે તમારી સાથે ઓળખાણ કરવા આવ્યો છું.

(૨) પશ્ચિમની ભૂમિમાં જતાં પહેલાં હું ભારત માટે પ્રેમ ધરાવતો હતો, હવે તો ભારતની ધૂળની કણેકણ પણ મારે માટે પવિત્ર છે, મારે માટે ભારત એ તીર્થ સમાન બની ગયું છે.

(૩) આપણે નિર્ભીક બનવું પડશે, તો જ આપણે આપણું કામ પાર પાડી શકીશું. ઊઠો, જાગો, કારણ તમારી માતૃભૂમિ આ મહા બલિદાનની તમારી પાસે ભીક્ષા માગે છે. અપેક્ષા રાખે છે.

૫૨. સ્વામીજીએ કલકત્તામાં ક્યારે, ક્યાં અને ક્યું ભાષણ આપ્યું હતું?

૧૮૯૭ની સાલની ૪થી માર્ચે, સ્ટાર થિયેટરમાં ‘વેદાંતના બધા વિભાગો’ ઉપર ભાષણ આપ્યું હતું.

૫૩. ત્યાર બાદ ક્યે સ્થળે અને ક્યારે એમનું સન્માન કરવામાં આવ્યું હતું? ત્યાં સભામાં કેટલા માણસો હાજર હતા?

અલમોડામાં. ૧૮૯૭ની સાલની ૧૧મી મેએ. ચાર હજાર.

૫૪. અલમોડામાં કોણે કોણે સ્વામીજીનું અભિવાદન કર્યું હતું?

હિન્દીમાં જ્વાલાદત્ત જોષી અને લાલાબદ્રીશાએ અને સંસ્કૃતમાં એક પંડિતે.

૫૫. સ્વામીજીએ તેમના થયેલા સત્કારના ઉત્તરમાં જે કહ્યું તેનો મૂળ સૂર ક્યો હતો?

તપોભૂમિ હિમાલયના મહિમાનું વર્ણન.

૫૬. અલમોડામાં સ્વામીજીના સાથીઓનાં નામ કહો.

સ્વામી યોગાનંદ, નિરંજનાનંદ, અદ્‌ભુતાનંદ, વિજ્ઞાનાનંદ, સચ્ચિદાનંદ, સદાનંદ, શુદ્ધાનંદ, બ્રહ્મચારી કૃષ્ણલાલ, ગુડવીન, મિસ હેનરિએટા મૂલર, મિસ્ટર અને મિસિસ સેવિયર.

૫૭. અલમોડામાં બીજે ક્યે સ્થળે સ્વામીજીએ ભાષણ કર્યા હતાં?

જિલ્લાની સ્કૂલમાં અને ઈન્ગ્લિશ કલબમાં.

૫૮. ઈન્ગ્લિશ કલબમાં પ્રમુખસ્થાને કોણ હતા અને ભાષણનો વિષય ક્યો હતો?

ગૉર્ખા રેજિમેન્ટના મુખ્ય ઑફિસર કર્નલ પેલે. ‘વેદનો ઉપદેશ – તાત્ત્વિક અને વ્યવહારિક’

૫૯. પંજાબ અને કાશ્મીરમાં સ્વામીજીએ આપેલાં ભાષણો વિષે ટૂંકમાં કહો.

આ બંને પ્રદેશોમાં અનેક સ્થળોએ સ્વામીજીએ ભાષણ કરેલાં – અંગ્રેજીમાં તેમ જ હિન્દીમાં. પરંતુ કોઈ પણ ભાષણનો રિપોર્ટ મળેલો નથી. શિયાલકોટમાં ‘ભક્તિ’ એ વિષય ઉપર હિન્દીમાં ભાષણ કર્યું હતું.

૬૦. લાહોરમાં સ્વામીજીએ ક્યા ક્યા વિષયો ઉપર ભાષણ કર્યાં હતાં?

ધ્યાનસિંહ હવેલીમાં, ‘હિન્દુ ધર્મની સર્વમાન્ય ભૂમિકા’ એ વિષય ઉપર ભાષણ કરેલું.

૬૧. લાહોરથી સ્વામીજી ક્યાં ક્યાં ગયેલા?

દહેરાદૂન, સહરાનપુર, દિલ્હી અને ત્યાં થઈ રાજપુતાનામાં અલવર અને જયપુર થઈ ખેતડી પહોંચેલા.

૬૨. ખેતડીમાં ક્યારે, ક્યાં અને કોના દ્વારા સ્વામીજીનું સ્વાગત થયું હતું?

એક સ્થાનિક સ્કૂલમાં, ૧૮૯૭ની ૧૭મી ડિસેમ્બરે ખેતડીરાજ અજિતસિંહના પ્રમુખપદ હેઠળ ખેતડીની પ્રજાએ તેમને આવકાર આપ્યો હતો.

૬૩. ખેતડીમાં ક્યાં અને ક્યા વિષય ઉપર સ્વામીજી બોલ્યા હતા?

ડાકબંગલામાં, ‘વેદાંત’ ઉપર બોલ્યા હતા.

૬૪. કોલમ્બોથી ખેતડી સુધી જે બધાં ભાષણો સ્વામીજીએ આવેલાં, તે એકઠાં કરી પુસ્તકના સ્વરૂપમાં પ્રકાશિત થયાં છે. પુસ્તકનું ગુજરાતી અને અંગ્રેજી નામ આપો.

‘ભારતમાં આપેલાં ભાષણો’, ‘Lectures From Colombo to Almora’

૬૫. સ્વામીજીનાં ભારતમાં અપાયેલાં ભાષણો કઈ રીતે મળ્યાં હતાં?

કેટલાંક ભાષણો બાદ કરતાં, સ્વામીજીના શિષ્ય જે.જે. ગુડવિને ખૂબ જ સરસ રીતે Short Hand માં બધાંજ ભાષણોની નોંધ લીધેલી, તેને પરિણામે આ સંભાષણો પ્રાપ્ત થયાં છે.

૬૬. સ્વામીજીએ ભારતમાં પ્રચાર કર્યો તેનું તાત્કાલિક પરિણામ શું આવ્યું હતું?

સ્વામીજીનાં ભાષણોને લીધે, ભારતવાસીઓને પોતાના વેદાંત ધર્મ વિષે જાણવા મળ્યું. ભારતવાસીઓ જે લઘુગ્રંથિથી પીડાતા હતા, તેનો લોપ થયો. સ્વામીજીએ ભારતવાસીઓની તામસિકતા દૂર કરી તેમના મનમાં રજોગુણનો સંચાર કર્યો. આત્મ જાગરણથી જાગૃત થઈ તેઓની પોતાની રાષ્ટ્ર પ્રત્યેની ભાવના ખીલી ઉઠી. સ્વામીજીનું ઉત્તેજિત કરનાર વેદવાક્ય ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો’ની અસરથી લોકો જાગ્રત થયા – સમગ્ર ભારત વર્ષ ફરીથી જાગી ઊઠ્યું.

૬૭. વિદેશથી પાછા ફર્યા બાદ, સ્વામીજીના પ્રચારનો જે કાર્યક્રમ હતો તેમાં દૂરસુદૂર ફેલાઈ જાય એવો ક્યો પ્રભાવ જોવામાં આવ્યો છે?

૧. ભારતના મહિમા વિષે પરદેશીઓ સભાન બન્યા છે.

૨. વિદેશના છાપાંઓમાં ભારતીય આધ્યાત્મિક સમૃદ્ધિ વિશે (લેખો) છપાયા છે અને છપાઈ રહ્યા છે.

૩. પરદેશી બુદ્ધિજીવીઓને ભારતની આધ્યાત્મિક્તા બાબત ખ્યાલ આવ્યો છે અને તે વિષય ઉપર ઘણાં બધાં પુસ્તકો લખાયાં છે ને લખાઈ રહ્યાં છે.

૪. સંસ્કૃતમાં લખાયેલા વેદ, ઉપનિષદ અને શાસ્ત્રના ગ્રંથોના અંગ્રેજીમાં તથા આપણી બીજી ભાષાઓમાં અનુવાદ થયા છે અને થાય છે.

૫. સ્વામીજીનાં ભાષણો અને પત્રોએ સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારીઓને તેમજ સ્વરાજના આંદોલનમાં જોડાયેલાઓને પ્રોત્સાહન આપ્યું છે. આને કારણે ભારતને સ્વરાજ મળવાની પ્રક્રિયા તેજ બની હતી.

૬. દેશનેતાઓ, રાજકારણીઓ, શિક્ષણના ક્ષેત્રમાં આગવો ભાગ લેનારાઓ, ઈતિહાસકારો, સમાજશાસ્ત્રના તજ્જ્ઞો, દાર્શનિકો, સાહિત્યકારો, વિચારશીલ વ્યક્તિઓ, નાટયકારો તેમજ કવિઓ – સૌ કોઈ ભારત વિષેના તેમના ઉપદેશોથી પ્રભાવિત થયા છે અને થઈ રહ્યા છે.

૭. ધાર્મિક પુસ્તકોએ સાહિત્યનું ઊંચું સ્થાન અને પ્રતિષ્ઠા મેળવ્યાં છે. સાહિત્યમાં સામાન્ય લોકો બોલે તે ભાષાને સ્થાન મળ્યું.

૮. ભારતવાસીઓ ત્રણ મંત્રો સાંભળી પોતાના રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કર્યો છે અને કરી રહ્યા છે.

‘શિવજ્ઞાને જીવ સેવા’ ‘આત્મનો મોક્ષાર્થ જગદ્વિતાય ચ’ અને ‘ત્યાગ અને સેવા’.

૯. ભારત તથા વિશ્વના કલ્યાણાર્થે રામકૃષ્ણ મિશનની સ્થાપના.

૧૦. અસ્પૃશ્યતા તથા દ્વૈતભાવ દૂર થયો છે અને થઈ રહ્યો છે.

૧૧. દરિયાઈ મુસાફરીની સામે જે પ્રતિબંધ હતો તે દૂર થયો છે.

૧૨. ભારતના શિલ્પમાં ઉત્ક્રાંતિ આવી છે. ભારતના નવઘડતરમાં નવ જાગરણ આવ્યું છે.

૧૩. ભારત અને પશ્ચિમના દેશો વચ્ચે સંબંધો ગાઢ થયા છે.

૧૪. ભારતની અતિ દરિદ્ર પ્રજા માટે અસંખ્ય સેવા સંસ્થાઓ રચાઈ છે ને રચાઈ રહી છે.

૧૫. ભારતને ભારત-પ્રેમી પ્રતિબદ્ધ વિદેશીઓનું એક જૂથ પ્રાપ્ત થયું છે.

બંગાળીમાંથી ભાષાંતર : ઉમા રાંદેરિયા

Total Views: 262

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.