જેના પ્રેમે રસબસ કર્યાં ઠેઠ ચાંડાલ સુધ્ધાં,
લોકાતીત પણ નવ ત્યજ્યો લોકકલ્યાણ માર્ગ;
ત્રૈલોક્યે જે અનુપ મહિમા જાનકી-પ્રાણબંધ,
ભક્તિ જ્ઞાનાશ્રયસ્વરૂપ જે રામસીતા સહિત.
જેણે પોતે લયસમરને સ્તબ્ધ જેવું કરીને,
આઘો કાઢી પ્રકૃતિ જ તમોમોહ-માયાંધકાર;
ગાયું શાંત, મધુર ગીતને સિંહનાદ ધ્વનિથી,
તે પોતે આ ફરી અવતર્યા રામકૃષ્ણ-સ્વરૂપે.
– સ્વામી વિવેકાનંદ

Total Views: 19

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.