જેના પ્રેમે રસબસ કર્યાં ઠેઠ ચાંડાલ સુધ્ધાં,
લોકાતીત પણ નવ ત્યજ્યો લોકકલ્યાણ માર્ગ;
ત્રૈલોક્યે જે અનુપ મહિમા જાનકી-પ્રાણબંધ,
ભક્તિ જ્ઞાનાશ્રયસ્વરૂપ જે રામસીતા સહિત.
જેણે પોતે લયસમરને સ્તબ્ધ જેવું કરીને,
આઘો કાઢી પ્રકૃતિ જ તમોમોહ-માયાંધકાર;
ગાયું શાંત, મધુર ગીતને સિંહનાદ ધ્વનિથી,
તે પોતે આ ફરી અવતર્યા રામકૃષ્ણ-સ્વરૂપે.
– સ્વામી વિવેકાનંદ
Total Views: 19
Your Content Goes Here