કાશ! કે
આ આકાશ આખું ઊડી જાય
ને રહી જાય માત્ર પંખી;
આકાશનું અસ્તિત્વ આપણી આંખો લઈ લે.
કાશ! કે
આ સૃષ્ટિ ફરી શૂન્યમાં વિલીન થાય
ને નિરાકારી પ્રભુ આકાર લઈ લે.
આકાશનું અસ્તિત્વ
અને આકાશી પ્રભુ
એ બે વચ્ચે રહી જાય માત્ર પેલું પંખી,
કે જે હોવાની શક્યતા છે… પ્રેમ!
કાશ! કે…
– મહેશચંદ્ર ‘નિસ્તેજ’
Total Views: 235
Your Content Goes Here