गेयं गीतानामसहस्रं ध्येयं श्रीपतिरूपमजस्रम् ।
नेयं सज्जनसङ्गे चित्तं देयं दीनजनाय च वित्तम् ॥
‘શ્રીમદ્ભગવદ્ગીતા’ અને ‘શ્રીવિષ્ણુસહસ્રનામ’નો પાઠ કરવો જોઈએ. વારંવાર વિષ્ણુના રૂપનું ધ્યાન ધરવું જોઈએ. સજ્જનના સંગમાં ચિત્તને દોરવું જોઈએ અને દીનજનને ધન આપવું જોઈએ.
प्राणायामं प्रत्याहारं नित्यानित्यविवेकविचारम् ।
जाप्यसमेतसमाधिविधानं कुर्ववधानं महदवधानम्॥
પ્રાણાયામ, પ્રત્યાહાર, નિત્ય અને અનિત્યના વિવેકનો વિચાર, જપ કરવા યોગ્ય સહિતનું સમાધિનું વિધાન અને મોટું ધ્યાન, – આ બધાનું તું ધ્યાન ધરજે.
(મોહમુગ્દર સ્તોત્ર – શ્લોક, ૨૭, ૩૦)
Your Content Goes Here