येषां न विद्या न तपो न दानं
ज्ञानं न शीलं न गुणः न धर्मः।
ते मर्त्यलोके भुवि भारभूता:
मनुष्यरूपेण मृगाः चरन्ति॥१३॥
જે લોકોના જીવનમાં વિદ્યા નથી, તપ નથી, ધન નથી, શીલ નથી, ગુણ નથી અને ધર્મ નથી, એવા મનુષ્ય પૃથ્વી પર ભારસ્વરૂપ બને છે અને મનુષ્ય રૂપે પશુ બનીને વિચરણ કરે છે.
भवन्ति नम्रास्तरवः फलोद्गमैः-
नवाम्बुभिर्दूरविलम्बिनो घनाः।
अनुद्धताः सत्पुरुषाः समृद्धिभिः
स्वभाव एवैष परोपकारिणाम्॥७१॥
વૃક્ષોમાં ફળ આવવાથી તે નમી જાય છે. વાદળોમાં નવું જળ આવવાથી તે દૂર દૂર સુધી નમી જાય છે. સજ્જન માણસોને સમૃદ્ધિ પ્રાપ્ત થતાં તેઓ વિનયી બની જાય છે. જગતમાં પરોપકાર કરનારાઓનો
પણ એવો જ સ્વભાવ હોય છે.
(‘નીતિશતકમ્’માંથી)
Your Content Goes Here