पूर्णावतारपुरुषस्य गदाधरस्य पादार्पणे सपदि भारतपुण्यभूमेः
सर्वांग-कन्दलित-कण्टक-कुड्मलानि ब्रह्माण्डमण्डल-मशेषमहो पुनन्ति॥२७॥

પૂર્ણાવતાર-પુરુષ પ્રભુ રામકૃષ્ણ, સ્પર્શો થકી ચરણના કરતા પ્રહર્ષ- રોમાંચ આ ભરતભૂમિ તણા શરીરે, બ્રહ્માંડમંડલ બધું જ કરે પવિત્ર.

न ज्ञानमुद्रा न जटा न माला न ब्रह्मसूत्रं न गुरुत्व – नाट्यम्।
साधारणत्वेन हि रामकृष्ण-स्सिद्धेष्वसाधारणतां प्रपेदे॥३२॥

ન જ્ઞાનમુદ્રા ન જટા ન માલા,ન બ્રહ્મસૂત્રો, ન ગુરુત્વનાટ્ય; રૂપે જ સાધારણ રામકૃષ્ણ, પામ્યા અસાધારણતા અહીં તો.

हे सर्वात्मक हे जगत्त्रयगुरो हे रामकृष्ण प्रभो
हे चन्द्रात्मज हे गदाधर विभो हे शारदावल्लभ।
शुद्धप्रेमघनस्य योगजलधे-र्धर्मात्मनो ब्रह्मणो
मूढोऽहं मनुजाकृतेस्तव कथंकारं ब्रुवे वैभवम्॥३८॥

હે સર્વાત્મક! હે જગ-ત્રયગુરો! હે રામકૃષ્ણ! પ્રભો!  હે ચંદ્રાત્મજ! હે ગદાધર! વિભો! હે શારદાવલ્લભ!  શુદ્ધપ્રેમધની સધર્મમય છો, યોગો તણા સાગર,  તો યે આપ મનુષ્યરૂપ ધરતા, હું શેં વખાણું કહો.

(શ્રીરામકૃષ્ણ કર્ણામૃતમાંથી)

Total Views: 14
By Published On: November 1, 2011Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.