કેટલીક કૃપાઓ એવી મળી છે,
કે, લાયકાતથી વધુ આરત ફળી છે.
નમીએ જ્યાં, જયારે સંત ચરણે,
ગર્વની એકેએક ગાંઠો ગળી છે!
શબ્દ અને સંગીત મઢતાં ભજને,
લાગણીમાં શુદ્ધ ભક્તિ ભળી છે.
પ્રાર્થના, સંતસમાગમ, સત્કર્મ રૂપે,
ધન્ય છે આ વ્યાકુળતા મળી છે!
નીરખીએ ઈષ્ટને જો સૌમાં આપણે
એની કૃપાએ કૈંક ક્ષણો ઝળહળી છે
‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.
Your Content Goes Here