મારી હૂંડી સ્વીકારવા,
મારી મુશ્કેલ પળમાં,
મને ‘શામળશા’ થકી મળે છે,
એ ‘શામળીયા’ના રૂપમાં!
મને સદબુદ્ધિ સુઝવવા,
જ્ઞાન સંદેશ સમજવવા,
મને ‘અર્જુન’ થકી મળે છે,
એ ‘કેશવ’ના રૂપમાં!
મારી ભક્તિને દૃઢ કરવા,
‘ને સેવક ભાવ જગવવા,
મને ‘હનુમંત’ થકી મળે છે,
એ ‘રઘુવર’ના રૂપમાં!
સંસારે શુદ્ધિથી જીવાડવા,
‘ને માયાથી અલિપ્ત રાખવા,
મને ‘સ્વામીજી’ થકી મળે છે,
એ ‘શ્રી રામકૃષ્ણ’ રૂપમાં!
રસેશ અધ્વર્યુ
ઓક્ટો. ૯, ૨૦૨૧
‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.
Your Content Goes Here