મારી હૂંડી સ્વીકારવા,
મારી મુશ્કેલ પળમાં,
મને ‘શામળશા’ થકી મળે છે,
એ ‘શામળીયા’ના રૂપમાં!

મને સદબુદ્ધિ સુઝવવા,
જ્ઞાન સંદેશ સમજવવા,
મને ‘અર્જુન’ થકી મળે છે,
એ ‘કેશવ’ના રૂપમાં!

મારી ભક્તિને દૃઢ કરવા,
‘ને સેવક ભાવ જગવવા,
મને ‘હનુમંત’ થકી મળે છે,
એ ‘રઘુવર’ના રૂપમાં!

સંસારે શુદ્ધિથી જીવાડવા,
‘ને માયાથી અલિપ્ત રાખવા,
મને ‘સ્વામીજી’ થકી મળે છે,
એ ‘શ્રી રામકૃષ્ણ’ રૂપમાં!

રસેશ અધ્વર્યુ
ઓક્ટો. ૯, ૨૦૨૧

‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.

Total Views: 189

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.