कस्त्वं कोऽहं कुत आयातः का मे जननी को मे तात: ।
इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम् ॥
गेयं गीता नामसहस्रं ध्येयं श्रीपतिरूपमजस्रम् ।
नेयं सज्जनसंगे चित्तं देयं दीनजनाय च वित्तम् ॥
તું કોણ છે? હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? મારી માતા કોણ છે? અને મારા પિતા કોણ છે?
એમ તું વિચાર્યા કર; આ સર્વ જગત અસાર છે, તેમ જ વિચાર કરતાં સ્વપ્ન જેવું છે; તેનો ત્યાગ કરી ગીતાનું તથા વિષ્ણુસહસ્રનામનું ગાન કરવું;
લક્ષ્મીપતિ ભગવાનના સ્વરૂપનું નિરંતર ધ્યાન કરવું, સજ્જનોના સંગમાં ચિત્ત લગાડવું અને ગરીબ લોકોને ધનનું દાન કરવું.
(આદિ શંકરાચાર્ય દ્વારા રચિત ‘ચર્પટપંજરિકા સ્તોત્ર’માંથી)
Your Content Goes Here