૩ થી ૧૧ ફેબ્રુ. સુધી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે શાળાકોલેજના વિદ્યાર્થીઓ માટે મુખપાઠ, વક્તૃત્વ, શિઘ્રચિત્ર, સ્મૃતિ અનુલેખન, નિબંધલેખનનું આયોજન થયું હતું. જેમાં ૧૬૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
માનસશાસ્ત્ર વિદ્યાવિશે ચર્ચાસભા, ન્યુ દિલ્હી
૩ ફેબ્રુઆરીના રોજ ન્યુ દિલ્હીમાં યોજાયેલ માનસ શાસ્ત્ર વિદ્યાવિશે ચર્ચાસભામાં સ્વામી જિતાત્માનંદજીએ ભાગ લીધો હતો અને વિશ્વવિખ્યાત મનોવૈજ્ઞાનિકો-ચિકિત્સકો અને અગ્રણી રાજનેતાઓ ઉપસ્થિત હતા.
મેનેજમેન્ટ સેમિનાર
૨૦ ફેબ્રુઆરીએ શ્રીરામકૃષ્ણ આશ્રમમાં ‘માનસિક તાણ અને નિષ્ફળતાને કેમ નિવારવા’ એ વિશે ૩૦૦ શિબિરાર્થીઓ માટે મેનેજમેન્ટ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
Your Content Goes Here