ऋतस्य हि शुरुधः सन्ति पूर्वी: ऋतस्य धीतिर् वृजिनानि हन्ति ।
ऋतस्य श्लोको बधिरा ततर्द कर्णा बुधानः शुचमान आयोः ॥
સત્યનું શુભ બળ છે સનાતન, સંહરે છે પાપ સત્યતણું ચિંતન;
સત્યનો ધ્વનિ કરે ચિત્તમાં પ્રકાશ, વીંધે બહેરા કાનને પૂર્ણ બળની સાથ.
(ઋગ્વેદ : ૪.૨૩.૮)
अन्ति सन्तं न जहाति अन्ति सन्तं न पश्यति ।
देवस्य पश्य काव्यं न ममार न जीर्यति ॥
છે નિકટ કોઈ એને ન દોડી શકે, નિકટ છતાંય ન કોઈ ભાળી શકે;
જુઓ દેવના આ કાવ્યનો ચમત્કાર, ન ર્જીણ થનાર કે ન મરનાર.
(અથર્વવેદ : ૧૦.૮.૩૨)
Your Content Goes Here